ઇલેક્શન જોક્સ એક્સપ્રેસ–૬/OH GOD THIS IS HORRIBLE!!!!

ઇલેક્શન જોક્સ એક્સપ્રેસ – ૬

.

OH GOD THIS IS HORRIBLE!!!!

તમારા નાના બાળકને નેની પાસે મુકો કે કોઈ ડે કેર સેન્ટરમાં મુકો તો ખાસ કાળજી રાખજો. જો ઘરે નેની હોય તો થોડો ખર્ચો કરીને વિડીયો કેમેરા મુકો. જેને લઈને તમારું બાળક આવા ઘાતકી અત્યાચારનો ભોગ નહીં બને. આવા કિસ્સાઓ બને છે.


.

10334241_494975680604274_1069170314290150784_n8 – Resized

.

9 – Resized

.

12 responses to “ઇલેક્શન જોક્સ એક્સપ્રેસ–૬/OH GOD THIS IS HORRIBLE!!!!

    • નવનિયુક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના પાકિસ્તાની સમકક્ષ નવાઝ શરીફે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘને દેહાતી ઔરત ગણાવતી કરેલી ટિપ્પણી બાબત શરીફની સ્પષ્ટતા માગશે ખરા ?
      ભારતના તાત્કાલિન વડાપ્રધાન ડો. મનમોહનસિંઘે પાકિસ્તાની ધરતી પર આતંકવાદને મળતા પોષણ અંગે અમેરિકી પ્રમુખ બરાક ઓબામા સમક્ષ રજુઆત કરી હતી.
      પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે ગત તા.૨૯ સપ્ટેમ્બરે પાકિસ્તાની ચેનલના એન્કર હમીદ મીરને આપેલી મુલાકાતમાં ડો. સિંઘની ઉપરોક્ત રજુઆત અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું ડો. મનમોહનસિંઘ ‘દેહાતી ઔરત’ની જેમ આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે. જેવી રીતે ગ્રામીણ મહિલાઓ પોતાના આંતરિક ઝઘડાને ત્રીજા પાસે લઈ જાય છે એમ ડો. મનમોહનસિંઘ ભારત – પાકિસ્તાન વચ્ચેનો ઝઘડો લઈને અમેરિકા પાસે પહોંચી જાય છે.
      ભાજપના વડાપ્રધાનપદના તત્કાલીન ઉમેદવાર નરેન્દ્ર મોદીએ તા.૨૯ સપ્ટેમ્બરે દેશના પાટનગરમાં યોજેલી પ્રથમ રેલીમાં પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફની ઉપરોક્ત ટિપ્પણીને ભારતીય વડાપ્રધાનનું સૌથી મોટુ અપમાન લેખાવી હતી.
      મોદીએ એ રેલીમાં શરીફને પ્રશઅન કરતા પછ્યું હતું કે શરીફ, તમારા દેશના વડાપ્રધાનને દેહાતી ઓરત કહેવાની તમારી હિંમત કેવી રીતે થઈ. એ પછી એમણે કહ્યું હતું કે, શરીફની હેસિયત શું છે કે તેઓ આપણા દેશના વડાપ્રધાનની સરખામણી ગ્રામીણ મહિલા તરીકે કરે ? અમે ભલે સિંઘનો નીતિવિષયક વિરોધ કરીએ, પરંતુ અન્ય દેશ દ્વારા કરવામાં આવેલા ડો. સિંઘના અપમાનને અમે સહન કરીશું નહિ, એમ મોદીએ એ વખતે ધુ્રજારો કર્યો હતો.
      આજે મોદીની વડાપ્રધાન તરીકે દિલ્હીમાં થયેલી તાજપોશીના પ્રસંગે આ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ ઉપસ્થિત છે અને આવતીકાલે મંગળવારે બંને નેતાઓ વચ્ચે ઔપચારિક બેઠક પણ યોજાવાની શક્યતા છે ત્યારે નરેન્દ્ર મોદી, નવાઝ શરીફ સમક્ષ ‘દેહાતી ઓરત’ સંબંધી ઉપરોક્ત અપમાનજનક બાબતનો ઉલ્લેખ કરશે ખરા ? એવો સવાલ, આજે વડોદરાના રાજકારણના રસિયાઓ દ્વારા થયેલી ચર્ચામાં કેન્દ્રસ્થાને રહ્યો હતો. એક ન્યુઝ પેપરના સમાચાર

      Like

    • Humors are medicine for good health if people understand it.Otherwise it can be a poison for people and may not be good for their health. Whether there is an election or not but politicians are biggest subject of humor all the time. Politicians gives lots of pain to common people, let people enjoy with their cartoons and jokes.

      Like

  1. Hi,
    who has put this comment about Shri Modi Family.Shame on Him. and who allowed to post it too. Where was he/she when Congress was looting the country. He/ she knows that Shree Modiji is donating his salary behind girl education and all gifts he is receiving also gone for auction and that money also used for welfare of the society. The family who has given such a great son/ brother that money is nothing. once again shame on you and you have to apologies for same

    Like

    • Dear Mihirbhai,
      Cartoons and jokes are just for fun. If you can not digest humor or understand humor, please do not read jokes and cartoons. I am not against anybody or in favour of anybody. Congress is worst party, you can see from cartoons on them and Kejriwal. Modi was selling chai and has not worked anywhere in his life, he was a RSS svaynsevak. I used to visit Hadgavatar Bhavan(RSS office/home) on Baliakaka road, in Maninagar where Modi used to visit frequently. He is getting salary after becoming chief minister, since last ten years. My question is he has shown 1.5 crores rupees while filing his nomination papers for his bank account balance. Then, from where this money has come if he is donating his salary behind girls education, welfare of society. Second thing whatever gifts chief minister is getting is property of the state government. Modi is a good leader but do not blindly favour him. I am hopeful that he will do good. But if people favour him blindly, will make him and his party arrogant like congress. We may see BJP becoming another congress in future.(Because many corrupt leaders are in BJP too).

      Like

    • શ્રી વીપુલભાઈ,

      તારીખ ૨૭ મે નો મિહિરભાઈ નો પ્રતિભાવ અને તમારો જવાબ વાંચ્યો. હું મારો અભિપ્રાય ઈ-મેલ માં મોકલુ છુ.તટસ્ત રહીને તમે જે લખો છો તેનો હું ચાહક છું. મિડીયા-વર્તમાન પત્રો-રેડિયો કેટલા તટસ્ત રહી આપણને સાચી માહિતી આપે છે? મારા પ્રતિભાવ ને તમારે પ્રદર્શીત કરવો હોય તો કરશો, સુધારી ને ફેરફાર કરશો તો પણ ચાલશે. મારે કોઈને દુભવવા નથી અને ઉંધિયા નો સ્વાદ બેસ્વાદ થાય તેવું હું નથી ઇચ્છતો. ‘સુરતીઉંધીયું’ આપણને રસાસ્વાદ કરાવે છે તેને આપણે માણીએ અને આપણે આપણા પ્રતીભાવ જરૂર થી લખીએ,પણ બીજા નો મત(અભિપ્રાય) ખોટો જ છે, આવું કે તેવું તે(કોઈ -X..Y..Z..) ન જ લખી શકે- તેવું આપણે લખી શકીએ? આપણે કોઈ મેદાન મા નથી. હું ખોટો હોઈ શકું પણ મને હમેશા વકીલ કરતા જજ બનવાનું ગમ્યું છે. કોઈ પણ વ્યક્તિ ભગવાન નથી, ભગવાને પણ કોઈક જગ્યાએ અન્યાય કર્યા હોઈ શકે !! અત્યંત ધાર્મીક વ્યક્તિ ન જ માને- મનાવવાની મારી ઈચ્છા પણ નથી કારણ કે જ્યાં જ્યાં અન્યાય જેવું થયું છે ત્યાં ત્યાં તે કેમ થયું તેનો ખુલાશો અતી વિદ્વાન લોકો એ આપી દીધો છે.

      ચમત્કાર થયા નથી એવું તો છે જ નહિ. લોકો ના સારા માટે -ભલા માટે- ગરીબો ના દુઃખ કરવા ઘણા ચમત્કાર થયેલા છે. આપણા ભગવાન રાજવી કુટુંબ ના જ હતાને.એટલું જ નહિ અમુક સંપ્રદાયો જેમને ભગવાન ગણે છે તેમનો જન્મ સમય અને કાર્યકાળ નો સમય જોઈ જો જો -એ સમયે આપણા દાદા-પરદાદા મોગલ સલ્તનત ની હકુમત માં જીવી રહ્યા હતાં. આપણા ભગવાને તેમનો જીવન કાળ મોગલ સલ્તનત ને આધીન રહી પૂરો કર્યો હતો. મોદીજી ભગવાન નથી. તે ખૂબ જ શક્તિશાળી વહિવટકર્તા છે. રાજનીતી ના અઠંગ ખેલાડી છે. અત્યાર સુધી જે કંઈ ભારતનું થયું તે કરતા વધું સારું થશે જ, પણ બધાની બધી જ આશાઓ પુરી નહિ જ થાય. R.S.S. ની પણ નહિ. તેમણે સ્પષ્ટ કહેલું છે કે બંધારણ ની મર્યાદામાં રહી તે વહિવટ કરશે.

      મારી ઉમર અત્યારે ૬૭ વરસ ની છે.મારા યુવાની ના સમય મા લગ્ન સાથી ની પસંદગી માં મા-બાપ જ્ઞાતી ની કન્યા-મુરતિયા બતાવતા અને એમાં થી પસંદગી કરવાની રહેતી- જ્ઞાતી અંદર અને બહાર પ્રેમ-લગ્ન ની છૂટ પણ શરું થઈ જ ગયી હતી. જિંદગી નો મહત્તમ ભાગ અમદાવાદ માં પસાર કરી અમે પતી-પત્ની છેલ્લા ત્રણ વરસ થી સંતાનો (પુત્ર-પુત્રી) સાથે ફ્લોરીડા- અમેરીકા માં જિંદગી ની ખરી મઝા માણી રહ્યાં છીએ. અંગત વાત લખવાનું કારણ હવે કહું છું- ગાંધીજી- અંબાણી- મોદીજી અને હું બધા એક જ્ઞાતી ના છીએ. પેટા જ્ઞાતી (અંબાણી-મોદીની) ચોક્કસ જુદી છે. અમારા સમયમા પણ મા-બાપ દબાણ કરતા નહોતા. હું પણ ચોરવાડ, વડનગર જેવા નાના ગામ વીરમગામ મા જ જન્મેલો.

      મોદીજી નું જે રીત નું મગજ છે- જેટલા માનસીક રીતે તે મજબૂત છે, એવું માની શકાય કે તેઓ એ કોઈ દબાણ વશ લગ્ન કર્યા હતા ! શું લગ્ન-જીવન નો અર્થ તેમને ખબર નહોતી ! કોઈ સ્ત્રીનું જીવન -લગ્નજીવન દુઃખી થયું ન કહેવાય. જશોદાબેને તેમની જિંદગી પિયર માં વ્યતીત કરી કેમ સાસરી માં નહિ? વિધવા સ્ત્રી ઓ પણ સાસરીમાં જિંદગી પુરી કરતી હોય છે. છૂટાછેડા વાળી અને ત્યક્તા સ્ત્રી ઓ ને પોતાની જિંદગી પિયર માં વ્યતીત કરવી પડતી હતી કારણ કે સામાજીક અને આર્થિક રક્ષણ દિકરીને મા-બાપ-ભાઈ-ભાભી નું ખોરડું જ આપતું હતું. મોદી સાહેબ પોતાની આવક Girls Education, માં વપરાય છે- શાના માટે ? મોદીજી ને કન્યાઓ માટે ની શુભલાગણી ને પ્રતીક છે કે તેમણે એક કન્યાને કરેલ અન્યાય નું પ્રાયશ્ચીત છે! જસોદાબેન ને કંઈ વાંધો નથી પછી ગામ ને કેમ તકલીફ છે? એવું ન પૂછતા…. હિંદુ સ્ત્રી ની મહાનતા ને હું વંદન કરું છું. સ્ત્રી ઓ ને જાણવી હોય પોતાની ભૂલો અનુભવવી હોય તો પ્રસિધ્ધ લેખીકા કુંદનીકા કાપડિયા ની સાત પગલા આકાશ ના વાંચજો અને જો તમારી આંખમાં થી આંસુ ના ઓછામા ઓછા બે ટપકાં પણ ન પડે તો મને જરૂર થી લખજો હું ઈનામ આપીશ. ફરી-ફરી ને કહું છું જે થઈ ગયું તે ન થવાનું નથી. એક સ્ત્રી ને થયેલો અન્યાય ભારત ના ભવિષને અસર નહિ કરે.ભારત નુ ભવિષ્ય વધું ઉજ્જ્વળ થશે જ.

      ચૂટણી વખતે એક પ્રશ્ન બહુ પુછાયો હતો, કે સૌરભપટેલ અંબાણી ના સગા છે? મને ખબર નથી તેનો જવાબ ભા.જ.પા. તરફથી અપાયો હતો કે નહિ? પણ એ એક હકિકત છે.સૌરભ પટેલ મુકેશ-અનિલ ના બનેવી છે. ધીરુભાઇ ના ભાઈ રમણીક્ભાઈ અંબાણી ના તેઓ જમાઈ છે. વીમલ જે બ્રાન્ડ કાપડ થી પ્રસિધ્ધી Reliance ને મળી, અને ચઢતી શરૂ થઈ. તે વીમલ અંબાણી ના સગા બનેવી એટલે શ્રી સૌરભ પટેલ. એક સજ્જન-કાબેલ વ્યક્તિ ભારત ના વડાપ્રધાન હોવા છતા કશું બોલી ન શકે, આખી દુનિયા માં થતી તેની મઝાક કશી ટીપ્પણી વગર સહન કેમ કરે? રાજીનામું પણ ન આપી શકવાનો એ વિદ્વાન માણસ પાસે સરળ વિકલ્પ કેમ નહિ હોય, એ રહસ્ય કદાચ ક્યારેય નહિ ખૂલે. સામાન્ય પ્રજાની હેસિયત શું ?

      આપણે મોદીજી અને શરીફ વિષે અને વિરૂધ્ધ કરી એક બીજા સામે લખાણ પ્રતીલખાણ લખતા રહીશુ અને તે બન્ને મહાનુભાવો સાથે બેસીને ભોજન જમતા હશે.ખુબ જુના મિત્રો મળ્યા હોય એવી ઉષ્મા ને લાગણી થી મળશે અને ભેટશે. રાહ જુઓ ભારત નું ભવિષ્ય ઉજળું છે જ. આપણે મોદીજી ના અંગત જીવન સાથે નીસ્બત નથી ભારત દેશ સુખી થવો જોઈએ. ભારત દુનિયા નો એક નંબર નો દેશ મારે નથી જોઈતો, મારે સુખી દેશ જોઈએ છે. મારે નંબર ની સ્પર્ધા નથી જોઈતી. હું ઈચ્છું દુનિયાની પ્રત્યેક વ્યક્તિ ઈચ્છા વિરૂધ્ધ ભૂખી ન રહે, વસ્ત્ર વગર નરહે અને નાના-મોટા આવાસ વગર ન રહે. શું એવુ મારી હયાતી માં હું જોઇ શકીશ? – GujaratiSahitya PracharKendra – gspk2013@yahoo.com

      Like

  2. This is shocking and unbelievable. This day-care lady must have been punished legally.
    Or she seems to be mentally ill.

    Like

    • It is fact in America and Canada but not all the places. These are few incidences. In India if somebody does like this then before police arrives, people will give punishment to her, may be legally right or wrong but child is saved.

      Like

  3. મોદીએ શરીફને માત્ર શ્રીખંડ-પુરી-પાત્રા-રાઈતું જમાડવા નહીંજ બોલાવ્યા હોય…. કદાચ રુબરૂમાં ચીમકી આપવા અને પાકિસ્તાનનું નાક કાપાવવા પણ બોલાવ્યા હોય.. મોદી ઓછી માયા નથી. ઘણી વાત જાહેરમાં ન કહેવાતી હોય, દા.ત. શરીફે જાહેરમાં મનમોહનને દેહાતી ઓરત કહી અને તેનો જબરજસ્ત હોબાળો મચ્યો, એને બદલે મોદીએ શરીફને રૂબરૂમાં બોલાવીને કદાચ સાનમાં સમજાવી પણ દીધું હશેં કે ચુપ બેસજો અને બહુ બડબડ કર્યા વગર શાંતિ રાખજો, અને હવે જે જે વિધાનસભાની ચૂંટણીઓ આવે છે એ માટે કદાચ આ દ્વારા ભારતના મુસલમાનોને પણ સંદેશો આપી દીધો હશે કે ભારત પાકિસ્તાન શાંતિ ઝંખે છે અને ભારતમાં રહેવું હોય તો અમને જ મત આપશો અને ગરબડ કર્યા વગર રહો, એમાંજ તમારું ભલું છે…….!!!!

    Like

    • આ એક સમાચાર વાંચી મોદી ભક્તોને કડવું લાગે તો ભલે લાગે પરંતુ જે હકીકત છે તેને કોઈ બદલી શકે નહી. મોદીજીની માતા મોદીને પેંડો ખવડાવતા ટી.વી.પર જોઈને શરીફ અને એમની માતા ખુબ જ ભાવિક થઇ ગયા હતા, એવું શરીફે મોદીને વાતચીતમાં કહ્યું હતું.સાથે સાથે શરીફે મોદીને ટોણો મારતા કે પછી ખાલી કહ્યું કે હું ઇસ્લામાબાદ હોવા છતાં મારી માતાને અઠવાડિયામાં એક વાર દુર સુધી મળવા જરૂર જાઉં છું. આ બાજુ મોદી સાહેબ ગાંધીનગરમાં પાંચ મીનીટ દુર રહેતી માતાને વર્ષમાં બે વાર મળવા જાય છે. આજે એક બીજી વસ્તુનું મને ખરેખર દુઃખ થયું કે એમના આ સમારંભમાં મોદી એમની માતાને એરફોર્સના પ્લેનમાં કાયદેસર લઈ જઈને ખુશી આપી શક્યા હોત. જો કે કોઈપણ માતાને માટે સંતાનોની ખુશીથી કોઈપણ વસ્તુ જિંદગીમાં મોટી નથી. બીજી વાત એમની સગી બહેન/બનેવીએ તો રિઝર્વેશન કરાવ્યું છતાં એમને કે કોઈ ભાઈને આમંત્રણ ન હતું. મોદીની જગ્યાએ તમે હો તો તમારા આત્માને પૂછીને જવાબ તમારી પાસે જ રાખજો.મારે ચર્ચા નથી કરવી અને એક સાધ્વીનનું જીવન જીવતા ઋતંભરાને આમંત્રણ? તેમને આ કેવો મોહ? રામદેવજીને આમંત્રણ નહી? કરોડોના ગોટાળા કરનાર કેટલાય લોકો હાજર હતા.

      Like

  4. DAY CARE NO VIDEO REALLY HORRIBLE ALL YOUNG PARENTS SHOULD SEE THIS VIDEO AND LOOK AFTER THEIR CHILD PROPERLY

    Like

Leave a comment